Spread the love

લોકસભા ચૂંટણી 2024 – અમદાવાદ જિલ્લો
લોકસભા ચૂંટણી 2024 અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરશ્રી રોહીત ચૌધરીના માર્ગદર્શન મુજબ હેઠળ સઘન મતદાન જાગૃતિ અભિયાન કાર્યરત છે. શહેરમાં વિવિધ સ્થળોએ નાગરિકોમાં મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

આવા જ એક કાર્યક્રમમાં વસ્ત્રાપુર ખાતે આવેલા અમદાવાદ વન મોલમાં મોટી સંખ્યામાં અધિકારીઓ/કર્મચારીઓને અને સિક્યુરિટી સ્ટાફને મતદાન જાગૃતિની સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિતોએ અવશ્ય મતદાન કરવા અંગે શપથ લીધા હતા અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરશે એવી તૈયારી બતાવી હતી. સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોતાના વતનમાં જઈને મતદાન કરવાનો તથા અન્ય લોકોને પણ મતદાન કરાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મદદનીશ નોડલ ઓફિસર દ્વારા સૌને મતદાન જાગૃતિની સમજ આપીને અચૂક મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા.