Entertainment

HOCCOના બુલેટ આઈસ્ક્રીમના લોન્ચિંગમાં ‘મિર્ઝાપુર’ના કલાકારો ઉપસ્થિત
HOCCOના બુલેટ આઈસ્ક્રીમના લોન્ચિંગમાં ‘મિર્ઝાપુર’ના કલાકારો ઉપસ્થિત

~HOCCOએ ‘મિર્ઝાપુર’થી પ્રેરિત બુલેટ આકારનો આઈસ્ક્રીમ લોન્ચ કર્યો. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા અને જીતેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા.

Ahmedabad, Gujarat, Sep 02 (VNI): HOCCO આઈસ્ક્રીમ દ્વારા ‘મિર્ઝાપુર’ ફ્રેન્ચાઈઝીથી પ્રેરિત બુલેટ આકારના આઈસ્ક્રીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘મિર્ઝાપુર’ના કલાકારો પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ પંડિત), દિવ્યેન્દુ શર્મા (મુન્ના ત્રિપાઠી) અને જીતેન્દ્ર કુમાર (બબલુ પંડિત) ઉપસ્થિત રહ્યા હતા.
કલાકારોએ HOCCOના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે HOCCOની ‘આમચી કેરી’ અને ‘જાંબુ આઈસ્ક્રીમ’ના વખાણ કર્યા હતા. HOCCO આઈસ્ક્રીમના સ્થાપક અંકિત ચોના પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે HOCCOએ ‘મિર્ઝાપુર’ સાથે કોલેબોરેશન કરીને ફ્રેન્ચાઈઝીના સૌથી ઓળખી શકાય તેવા પ્રતીકોમાંના એક બુલેટને આઈસ્ક્રીમના અનોખા સ્વરૂપમાં રજૂ કર્યું છે.
અંકિત ચોનાએ જણાવ્યું કે બંને બ્રાન્ડ પોતાની આગવી અને બોલ્ડ કાર્યશૈલી માટે જાણીતા છે. ‘મિર્ઝાપુર’ના લાર્જર-ધેન-લાઈફ પાત્રો, સંવાદો અને સાંસ્કૃતિક પ્રભાવને પોપ-કલ્ચરમાં આગવું સ્થાન મળ્યું છે, જ્યારે HOCCO આઈસ્ક્રીમમાં સતત નવીનતા લાવવા અને પરિચિત વિચારોને નવા સ્વરૂપમાં રજૂ કરવા માટે કાર્ય કરે છે. આ કોલેબોરેશન હેઠળ મિર્ઝાપુરની દુનિયાથી પ્રેરિત બુલેટ આઈસ્ક્રીમ રજૂ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે બુલેટ આઈસ્ક્રીમ સંપૂર્ણપણે મનોરંજન અને સર્જનાત્મક અર્થઘટનનું પરિણામ છે. HOCCO અહિંસાનું સમર્થન કરે છે અને આ પ્રોડક્ટ મિર્ઝાપુરની કાલ્પનિક દુનિયાથી પ્રેરિત એક મનોરંજક પ્રસ્તુતિ છે. બુલેટ આઈસ્ક્રીમ ચોકલેટ કોટિંગ સાથે ચોકલેટ આઈસ્ક્રીમ છે અને પાંચના પેકમાં ક્યૂ-કોમર્સ તથા જનરલ ટ્રેડ મારફતે ઉપલબ્ધ થશે.
એક્સેલ એન્ટરટેઈનમેન્ટના CEO વિશાલ રામચંદાનીએ જણાવ્યું હતું કે ‘મિર્ઝાપુર’નો હંમેશા પોતાનો અલગ અંદાજ રહ્યો છે અને HOCCO પણ એ જ પ્રકારનો બોલ્ડ જુસ્સો ધરાવે છે. આ કોલેબોરેશન દ્વારા ‘મિર્ઝાપુર’ની દુનિયાને ફિલ્મના પડદાની બહાર લઈ જઈને લોકોના રોજિંદા જીવનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘મિર્ઝાપુર: ધ મૂવી’ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. VNI NEWS, HOCCO Ice Cream, Bullet Ice Cream, Mirzapur The Movie, Pankaj Tripathi, Ali Fazal, Divyenndu Sharma, Jitendra Kumar, Ankit Chona, Excel Entertainment, Mirzapur Movie, Ice Cream Launch, VNINews, VNINews.com

ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન

Lifestyle

લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન
લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન

~Ahmedabad will witness the grand first-time installation of ‘Khadiya na Ganraj’ on the lines of Mumbai’s Lalbaugcha Raja, offering devotees Charan Sparsh Darshan.

Ahmedabad, Gujarat, Sep 13 (VNI): અમદાવાદમાં મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાની તર્જ પર પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન કરવામાં આવશે.
ખાડિયા ગેટ પાસે લાખિયાની પોળની પાવન ધરતી પર ગણેશ ચતુર્થીના દિવસે 14 સપ્ટેમ્બર, સોમવારે સવારે 11:30 કલાકે ‘ખાડિયાના ગણરાજ’ની સ્થાપના કરવામાં આવશે. ભગવાન શ્રી ગણેશજીનું આ દિવ્ય સ્વરૂપ 10 દિવસ સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ગણેશભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે.
‘ખાડિયાના ગણરાજ’ના આયોજનનું વિશેષ આકર્ષણ એ છે કે ગુજરાતમાં પ્રથમવાર ભાવિકોને ભગવાન શ્રી ગણેશજીના ચરણસ્પર્શ દર્શનનો લ્હાવો મળશે. ભક્તો ભગવાનના પાવન ચરણોના દર્શન કરીને તથા ચરણસ્પર્શથી આશીર્વાદ મેળવી પોતાની મનોકામનાઓ ગણરાજના ચરણોમાં અર્પણ કરી શકશે. આ આયોજનને ભક્તિ અને આસ્થાના વિશેષ પર્વ તરીકે ઉજવવામાં આવશે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ અને બુદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. ‘ખાડિયાના ગણરાજ’ના ચરણોમાં માથું નમાવીને ભક્તો જીવનના તમામ વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરી શકશે.

અષ્ટ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક સત્સંગના અગ્રણીઓ અને લોકભાગીદારો દ્વારા આયોજિત ખાડિયા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં અમદાવાદની જનતાને પરિવારજનો અને સ્નેહીજનો સાથે પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવવાની અપીલ પણ કરવામાં આવી છે.
‘ખાડિયાના ગણરાજ’નું વિસર્જન 25 સપ્ટેમ્બર, શુક્રવારે બપોરે 12:30 કલાકે કરવામાં આવશે. VNI NEWS, Khadiya na Ganraj, Khadiya Ganesh Mahotsav, Ahmedabad Ganesh Chaturthi, Lalbaugcha Raja, Ganesh Mahotsav Ahmedabad, Asht Vinayak Charitable Trust, Ganesh Darshan,  Khadiya na Ganraj Ahmedabad, Ahmedabad Ganesh Mahotsav, Khadiya Ganesh Chaturthi, VNINews, VNINews.com

Harish Patel Donates Blood for the 300th Time in Ahmedabad
Harish Patel Donates Blood for the 300th Time in Ahmedabad
ब्रह्माकुमारी राष्ट्रीय मीडिया सम्मेलन-2026 में सकारात्मक और जिम्मेदार पत्रकारिता पर जोर
ब्रह्माकुमारी राष्ट्रीय मीडिया सम्मेलन-2026 में सकारात्मक और जिम्मेदार पत्रकारिता पर जोर
Mandalao Elephant Conservation and Vantara Launch Elephant Conservation Programme in Laos

Latest News