Entertainment

ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું

~અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું. ફિલ્મની ટીમે સભ્યો સાથે સંવાદ કરી શૂટિંગના અનુભવો શેર કર્યા.

Ahmedabad, Gujarat, July 22 (VNI): અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. કાર્યક્રમમાં ટાફ ગ્રુપના મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી ફિલ્મનો આનંદ માણ્યો હતો.
સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ કલાકારો અને ટીમના સભ્યોએ ઉપસ્થિત મહેમાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવો, પડકારો અને અનેક રસપ્રદ પ્રસંગો શેર કર્યા હતા. સભ્યોએ પણ ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી ટીમ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠે ફિલ્મની સમગ્ર ટીમનો પરિચય કરાવ્યો હતો તેમજ ટીમનું સ્વાગત કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સભ્યોને કલાકારો સાથે મુલાકાત અને તસવીરો લેવાની પણ તક મળી હતી.
ટાફ ગ્રુપ દ્વારા સમયાંતરે ફિલ્મ, ફૂડ, આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને સભ્યો તરફથી સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘કડકનાથ’ના વિશેષ સ્ક્રિનિંગે પણ સભ્યો માટે યાદગાર અનુભવ સર્જ્યો હતો. VNI NEWS, Kadaknath Gujarati Film, TAFF Group, Karnavati Club, Ahmedabad Event, Gujarati Cinema, Gujarati Film, Kadaknath, Ahmedabad, Entertainment, Film Screening, VNINews, VNINews.com

GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त

Lifestyle

વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ઘરે-ઘરે પહોંચી પોલીસની શી ટીમ
વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ઘરે-ઘરે પહોંચી પોલીસની શી ટીમ

~વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ગુજરાત પોલીસની શી ટીમોએ રાજ્યભરમાં ૨,૩૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકોની ઘરે જઈ શુભેચ્છા મુલાકાત લઈ સુરક્ષા અને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું.

Gandhinagar, Gujarat, Aug 22 (VNI): વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં વરિષ્ઠ નાગરિકો સાથે રૂબરૂ સંવાદ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ વડીલોની ઘરે જઈ મુલાકાત લઈ તેમની સમસ્યાઓ અને ચિંતાઓ જાણી સુરક્ષા, સલામતી તથા જરૂરી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (CID ક્રાઇમ, મહિલા સેલ) અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, વડીલોનું સન્માન કરવું એ માત્ર સામાજિક જવાબદારી જ નહીં, પરંતુ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વરિષ્ઠ નાગરિકો પ્રત્યેની આપણી ફરજ પણ છે. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસનો હેતુ વરિષ્ઠ નાગરિકોના યોગદાન, અનુભવ અને અધિકારોને માન્યતા આપવા સાથે તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારી અંગે જાગૃતિ વધારવાનો છે.
રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં શી ટીમ દ્વારા ૨,૩૦૦થી વધુ સિનિયર સિટીઝનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમોને વરિષ્ઠ નાગરિકો સાથે સમય વિતાવવા, તેમની સમસ્યાઓ સાંભળવા અને તેઓ એકલવાયા કે ઉપેક્ષિત ન અનુભવે તે સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રાજ્યભરના શહેરો અને જિલ્લાઓમાં પોલીસ ટીમોએ સિનિયર સિટીઝનોના ઘરે જઈ તેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સુરક્ષા અને સલામતી અંગેની ચિંતાઓ જાણી તેમને જરૂરી માહિતી અને સહાય પૂરી પાડવામાં આવી હતી.
આ પહેલનો હેતુ પોલીસ અને વરિષ્ઠ નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તેમજ વૃદ્ધો માટે સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઊભું કરવાનો છે. સાથે જ, વરિષ્ઠ નાગરિકોની વિશિષ્ટ જરૂરિયાતો પ્રત્યે પોલીસ કર્મચારીઓમાં વધુ સંવેદનશીલતા વિકસે તે દિશામાં પણ આ અભિયાન મહત્વપૂર્ણ પગલું બન્યું છે. VNI NEWS, Gujarat Police, Senior Citizens Day, SHE Team, Senior Citizen Safety, Gujarat Police Senior Citizens, Senior Citizens, Gandhinagar, Gujarat, VNINews, VNINews.com

શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ 23 ઓગસ્ટે
શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ 23 ઓગસ્ટે
गुजरात में 47.32 लाख श्रद्धालुओं ने ‘उड़न खटोला’ रोप-वे सेवा का लाभ लिया
गुजरात में 47.32 लाख श्रद्धालुओं ने ‘उड़न खटोला’ रोप-वे सेवा का लाभ लिया
जैनाचार्य रश्मिरत्नसूरीश्वर ने जेन-जी मानवी को दीक्षा का मुहूर्त दिया
जैनाचार्य रश्मिरत्नसूरीश्वर ने जेन-जी मानवी को दीक्षा का मुहूर्त दिया

Latest News