Entertainment

ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું

~અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું. ફિલ્મની ટીમે સભ્યો સાથે સંવાદ કરી શૂટિંગના અનુભવો શેર કર્યા.

Ahmedabad, Gujarat, July 22 (VNI): અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. કાર્યક્રમમાં ટાફ ગ્રુપના મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી ફિલ્મનો આનંદ માણ્યો હતો.
સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ કલાકારો અને ટીમના સભ્યોએ ઉપસ્થિત મહેમાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવો, પડકારો અને અનેક રસપ્રદ પ્રસંગો શેર કર્યા હતા. સભ્યોએ પણ ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી ટીમ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠે ફિલ્મની સમગ્ર ટીમનો પરિચય કરાવ્યો હતો તેમજ ટીમનું સ્વાગત કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સભ્યોને કલાકારો સાથે મુલાકાત અને તસવીરો લેવાની પણ તક મળી હતી.
ટાફ ગ્રુપ દ્વારા સમયાંતરે ફિલ્મ, ફૂડ, આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને સભ્યો તરફથી સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘કડકનાથ’ના વિશેષ સ્ક્રિનિંગે પણ સભ્યો માટે યાદગાર અનુભવ સર્જ્યો હતો. VNI NEWS, Kadaknath Gujarati Film, TAFF Group, Karnavati Club, Ahmedabad Event, Gujarati Cinema, Gujarati Film, Kadaknath, Ahmedabad, Entertainment, Film Screening, VNINews, VNINews.com

GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त

Lifestyle

શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ 23 ઓગસ્ટે
શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ 23 ઓગસ્ટે

~રાંચરડા ખાતે શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ 23 ઓગસ્ટે હવન, સુંદરકાંડ પાઠ, રામ નામ કીર્તન, મહાઆરતી અને ભંડારા સાથે ઉજવાશે.

Ahmedabad, Gujarat, Aug 21 (VNI): શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિર, રાંચરડા, અમદાવાદનો દ્વિતીય પાટોત્સવ સમારોહ 23 ઓગસ્ટ, રવિવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે.
ભારતનું આ ચોથું એવું દિવ્ય મંદિર હોવાનું જણાવાયું છે, જ્યાં હનુમાનજી વિશ્રામ કરતી અવસ્થામાં બિરાજમાન છે. મંદિરના સંસ્થાપક ડો. પ્રવિણ ગર્ગના જણાવ્યા મુજબ, પાટોત્સવ નિમિત્તે 23 ઓગસ્ટે સાંજે 3:30 વાગ્યે હવન, 5:30 વાગ્યે સુંદરકાંડ પાઠ, 7:15 વાગ્યે રામ નામ કીર્તન તથા 7:30 વાગ્યે મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર ધીમે ધીમે લોકોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિર દ્વારા સેવા પ્રવૃત્તિ અંતર્ગત ત્રણ ‘રામ રોટી સેવા રથ’ના માધ્યમથી નિયમિત રીતે આશરે 500 જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત, દર રવિવારે મંદિરમાં સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવે છે.
નીબ કરૌરી બાબાના આશીર્વાદથી 23 ઓગસ્ટ, 2024ના રોજ આ મંદિરની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દ્વિતીય પાટોત્સવ નિમિત્તે આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. VNI NEWS, Neeb Karori Baba Temple, Rancharda Hanuman Temple, Second Patotsav, Ahmedabad Temple, Hanuman Temple, Rancharda Temple, Hanuman Temple, Ahmedabad, Patotsav, Sundarkand Path, Ram Naam Kirtan, Maha Aarti, VNINews, VNINews.com

गुजरात में 47.32 लाख श्रद्धालुओं ने ‘उड़न खटोला’ रोप-वे सेवा का लाभ लिया
गुजरात में 47.32 लाख श्रद्धालुओं ने ‘उड़न खटोला’ रोप-वे सेवा का लाभ लिया
जैनाचार्य रश्मिरत्नसूरीश्वर ने जेन-जी मानवी को दीक्षा का मुहूर्त दिया
जैनाचार्य रश्मिरत्नसूरीश्वर ने जेन-जी मानवी को दीक्षा का मुहूर्त दिया
બ્રહ્માકુમારીઝ દ્વારા ગાંધીનગરમાં રક્ષાબંધન સાથે નશામુક્તિ માટે સંકલ્પ અભિયાન
બ્રહ્માકુમારીઝ દ્વારા ગાંધીનગરમાં રક્ષાબંધન સાથે નશામુક્તિ માટે સંકલ્પ અભિયાન

Latest News