Spread the love

ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ૭-અમદાવાદ(પૂર્વ) સંસદીય મતવિભાગ(અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક)માં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી અભિનવ ચંદ્રા (IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને ૭-અમદાવાદ(પૂર્વ) સંસદીય મતવિભાગને લગતી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ ચૂંટણી નિરીક્ષકશ્રીને મળીને નિરાકરણ મેળવી શકે છે.
ચૂંટણી નિરીક્ષકશ્રીને રૂમ નં-૨૦૧, સર્કિટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે સાંજના ૪.૦૦થી ૬.૦૦ કલાક દરમિયાન મળી શકાશે, જેની જાહેર જનતા તથા ઉમેદવારોએ નોંધ લેવા ૭-અમદાવાદ(પૂર્વ) સંસદીય મતવિભાગના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અંગે જાહેર જનતા તથા ઉમેદવારો ચૂંટણી નિરીક્ષકશ્રી સમક્ષ રજૂઆત કરી શકશે
**
૭-અમદાવાદ(પૂર્વ) બેઠકની ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી અભિનવ ચંદ્રા (IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયા છે

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી નિરીક્ષકશ્રી સર્કિટ હાઉસ,એનેક્ષી,અમદાવાદ ખાતે સાંજના ૪.૦૦થી ૬.૦૦ કલાક દરમિયાન મુલાકાત આપશે
**