Spread the love

અમદાવાદ, 14 જુલાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ મણીનગર, અમૃતા વિદ્યાલય, ઘાટલોડિયા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
વિશ્વ સંવાદ કેન્દ્ર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલ અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. મણીનગર વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.
આ કાર્યક્રમમાં કાર્યવાહ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ વિભાગ સહ સેવા પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા.

એ જ પ્રમાણે આજે અમૃતા વિદ્યાલય, ઘાટલોડિયા કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. મણીનગર વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો. કુલ 70 બોટલ રક્તદાન થયું.
આ કાર્યક્રમમાં અમૃતા વિદ્યાલયના સંચાલિકા ઉમા દીદી, સંઘચાલક મહેશભાઈ પરીખ, મેમનગર ભાગ મા. સંઘચાલક ઉદયભાઈ કારાણી (ભાગ), કાર્યવાહ અમિતભાઇ પરીખ સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા.