Spread the love

અમદાવાદ, 20 મે, અમદાવાદ માં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૧૯ મે રવિવારે‌ સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.’પુસ્તક પરિચય’માં સાહિત્યસર્જક શામળ ભટ્ટનું પુસ્તક ‘ નંદબત્રીસી ‘ વિશે કીર્તિદા શાહે અને સાહિત્યસર્જક કનૈયાલાલ મા.મુનશીનું પુસ્તક ‘ પૃથિવીવલ્લભ ‘ વિશે કિરીટ દૂધાતે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.