Spread the love

આજરોજ અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર  એચ એસ પટેલ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઇ મકવાણાએ ડૉ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા, સારંગપુર, અમદાવાદ ખાતે પ્રતિમા પર સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ અમિતભાઇ પી શાહ, મહાનગરના પ્રભારી સંજયભાઈ પટેલ, મહાનગરના સહ પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, મહાનગરના મેયર પ્રતિભા બેન જૈન, ધારાસભ્ય કૌશિક ભાઈ જૈન, મોરચાના અધ્યક્ષ ભદ્રેશભાઈ મકવાણા, મોરચાના વિવિધ પદાધિકારી, મહાનગરના વિવિધ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ડૉ બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી અમદાવાદ પશ્ચિમ લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ પૂર્વ લોકસભા ક્ષેત્રમાં જન સંપર્ક રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
સમગ્ર રેલી દરમ્યાન અબ કી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકારના નારા અને રાષ્ટ્રભક્તિના ગીત સાથે સમગ્ર વાતાવરણ કેસરિયો થઇ ગયો હતો. ઠેર- ઠેર સમાજના વિવિધ વર્ગો દ્વારા બંને ઉમેદવાર ઓનું સ્વાગત સત્કાર ગુલાબની પાંખડીઓ, ફૂલમાળા દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા મોરચાની બહેનોએ કંકુ તિલક કરી ભવ્ય વિજયની અગ્રીમ બધાઈ આપી હતી. યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉત્સાહ પૂર્ણ રૉડ શૉમાં જોડાયા હતા. મહાનગર સંગઠન અને સાથોસાથ ભાજપના સમર્થકો ખુબ મોટી સંખ્યામાં રૉડ- શૉમાં જોડાયા હતા અને બંને ઉમેદવારશ્રીઓને વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા. પ્રજાજનોનો અપ્રતિમ પ્રેમ અને વિશ્વાસ સ્પષ્ટ જોવાતો હતો.