Spread the love

ગાંધીનગર, 15 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન કર્યા.
શ્રી પટેલએ આજે વહેલી સવારે ગાંધીનગર ના અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિર માં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસર માં પૂજ્ય દાદા ભગવાન , પૂજ્ય નીરૂમાં ની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિર માં જલાભિષેક કર્યો હતો.
શ્રી ભુપેન્દ્ર પટેલે જન્મ દિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. એમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.