Spread the love

અમદાવાદ, 12 જુલાઈ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે.
NHSRCL તરફ થી આજે જણાવવામાં આવ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 508 કિ.મી.ના લાઇનદોરી સાથે 12 સ્ટેશનોને આવરી લેશે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીથી શરૂ થતાં આઠ (08) સ્ટેશનો અને મહારાષ્ટ્રમાં ચાર (04) એટલે કે બોઇસર, વિરાર, થાણે અને મુંબઇ સ્ટેશનો છે.

લાઇનદોરીની સાથે બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે.
કોરિડોર પરના સ્ટેશનોમાં મુસાફરો માટે તમામ આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને સગવડો હશે. અહીં ટિકિટિંગ અને પ્રતિક્ષા વિભાગ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, રેસ્ટરૂમ્સ, ધુમ્રપાન ઓરડો, માહિતી કેન્દ્ર, રિટેલ કેન્દ્ર અને જનતા માટે માહિતી અને જાહેરાત વ્યવસ્થા હશે. તદુપરાંત, કેટલાક સ્ટેશનોને પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન કરીને પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, રિક્ષા, બસ અને ટેક્સીઓ જેવા પરિવહનના તમામ મૂળભૂત માધ્યમોના સંકલન દ્વારા સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારી, ઝડપી અને મુશ્કેલી-મુક્ત જોડાણ આપવામાં આવશે.