Spread the love

અમદાવાદ, 25 જૂન, ગુજરાત ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન ૨૭ જૂન ના રોજ કરવામાં આવ્યું છે.
મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૨૭ જૂન,ગુરુવારે,સાંજે ૦૫૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ , આશ્રમ રોડ , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘શબ્દજયોતિ’ અંતર્ગત સાહિત્યકાર વીનેશ અંતાણી પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.