Spread the love

ગાંધીનગર, 11 જૂન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવ નિયુક્ત ધારાસભ્યઓને શપથ લેવડાવ્યા.
શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૪માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યઓને આજે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યઓએ નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારંભમાં ૨૬-વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, ૮૩-પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ૮૫-માણાવદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ૧૦૮-ખંભાત વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગકુમાર પટેલ અને ૧૩૬-વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા.