Spread the love

ભાવનગર, 24 ઓગસ્ટ, લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 55 સિંહોના જીવ બચાવવામાં આવ્યા.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 24 ઓગસ્ટ (શનિવાર)ના રોજ, લોકો પાઇલટ રમેશ પી. ભેવલિયા (મુખ્યાલય – જૂનાગઢ) ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં કામ કરતી વખતે, કિ.મી. 51/6, ચલાલા-ધારી સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેક પર બેઠેલા 03 સિંહોને જોયા અને ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન રોકી સિંહોના જીવ બચાવ્યા. ટ્રેન મેનેજરને લોકો પાયલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી, ટ્રેન મેનેજરે ચલાલા સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાત કરી હતી, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે વન વિભાગના સ્ટાફને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીએ ઘટનાસ્થળે પહોંચી આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને ટ્રેક સાફ હોવાનો સંકેત આપ્યો. ટ્રેક ક્લિયર હોવાની માહિતી મળતાં જ ટ્રેનને લોકો પાયલટ દ્વારા ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી.
માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા લોકો પાઇલટની પ્રશંસનીય કામગીરી માટે પ્રશંસા કરવામાં આવી હતી.
ભાવનગર રેલ્વે મંડળ સિંહ/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 55 સિંહોના જીવ બચાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *