Spread the love

અમદાવાદ, 09 જૂન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
વિશ્વ સંવાદ કેન્દ્ર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે “જય રાધે હોટેલ”ના પ્રાંગણમા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. રાયપુર વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.
આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી ડો. સુનિલભાઈ બોરિસા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી મહાનગર કાર્યવાહ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, મણીનગર ભાગના મા. સંઘચાલક શ્યામસુંદરભાઈ જાલન સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા. આ અવસરે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ટ્રસ્ટને મોમેન્ટો આપવામાં આવ્યું.