Spread the love

અમદાવાદ, 29 જૂન, ગુજરાતના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ માં સાહિત્યસર્જક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ના પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસ અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ દવે પુસ્તકનો પરિચય 30 જૂન નાં રોજ કરાવશે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૩૦ જૂન, રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘પુસ્તક-પરિચય’માં સાહિત્યસર્જક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ના પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસ અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ દવે પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.