Spread the love

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૪ જુલાઈ, ગુરુવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું જીવનકાર્ય વિશે પ્રો.અશ્વિન આણદાણી અને વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિશે પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્યકાર પ્રવીણ દરજી વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.