Spread the love

અમદાવાદ, 15 જુલાઈ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જાપાન કેન્દ્રોનાં નેજા હેઠળ “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે.
એએમએ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે એએમએના જાપાન કેન્દ્રોએ ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને સાકાર કરીને વર્ષોથી એક અનન્ય ઓળખ ઊભી કરેલ છે. મંગળવાર૧૬ જુલાઈ ના રોજ સાંજે ૦૪૦૦થી ૦૭૦૦ વાગ્યા સુધી ભારતમાં સૌપ્રથમ વખત એએમએ દ્રારા જાપાન કેન્દ્રોનાં નેજા હેઠળ “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા જાપાનીઝ બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝની પ્રોસેસ તથા વર્ક કલ્ચર વિશે વાર્તાલાપ કરવામાં આવશે અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર અને હામામાત્સુ શહેરથી ગુડવિલ ડેલિગેશન આવશે કે જ્યાં સુઝુકી મોટરની શરુઆત થઇ હતી અને ઔઘોગિક ઈતિહાસમાં હામામાત્સુ શહેર એક આગવી ઓળખ ધરાવે છે. સુઝુકી મોટર (જાપાન), મારુતિ સુઝુકી (ભારત), સુઝુકી મોટર ગુજરાતના બિઝનેસ ક્ષેત્રનાં અગ્રણી લીડર્સ બિઝનેસ અને વર્ક કલ્ચર પ્રેક્ટિસ થકી “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર સિમ્પોસિયમને સંબોધશે અને જાપાનીઝ બિઝનેસ સંસ્કૃતિમાં રહેલા સફળતાના રહસ્યોની ચર્ચા કરશે.આ પ્રસંગે ગુજરાત ખાતેના જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ, પ્રમુખ,ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત સ્વાગત પ્રવચન રજૂ કરશે અને ભારતમાં જાપાનના દૂતાવાસનાં ફર્સ્ટ સેક્રેટરી, METI (અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય) જુનિચિરો સુઝુકી મુખ્ય પ્રવચન આપશે. જેટ્રો અમદાવાદના ડાયરેક્ટર જનરલ શ્રી યુ યોશિદા “ગુજરાતમાં જાપાનીઝ રોકાણને પ્રોત્સાહન આપવામાં જેટ્રોની ભૂમિકા” વિષય પર સંબોધન કરશે. ડૉ. મનીષ શાહ, જનરલ મેનેજર (ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ EoDB), ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો (iNDEXTb) , ગાંધીનગર “ગુજરાત-જાપાન – દ્રિપક્ષીય આર્થિક સંબંધોનો વિકાસ” વિષય પર સંબોધન કરશે.
શિઝુઓકા પ્રિફેકચરલ એસેમ્બલીના સભ્ય અને શિઝુઓકા પ્રિફેક્ચરલ એસેમ્બલીમાં ઈન્ડિયા જાપાન ફ્રેન્ડશિપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ આત્સુયુકી રાચીની આગેવાની હેઠળ શિઝુઓકા પ્રીફેક્ચરલ એસેમ્બલી સભ્યો અને રિજનલ ડિપ્લોમસી એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ ડિવિઝન, જેટ્રો અને હામામાત્સુ સિટી ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ડિવિઝનના અધિકારીઓ સિમ્પોઝિયમમાં જોડાશે અને સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. માનનીય અતિથિય રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમિત ઠાકર, ધારાસભ્ય વેજલપુર સન્માન કાર્યક્રમમાં જોડાશે અને સદ્ભાવના પ્રતિનિધિ મંડળને સંબોધશે.