Spread the love

અમદાવાદ, 20 જુલાઈ, ગુજરાત વિદ્યાપીઠનો ૭૦માં પદવીદાન સમારોહ નુ 21 જુલાઈ એ અમદાવાદમાં આયોજન કરવામાં આવશે.

ગુજરાત વિદ્યાપીઠ તરફથી જણાવવામાં આવ્યું કે મહાત્મા ગાંધી દ્વારા ૧૯૨૦માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠ એક રાષ્ટ્રીય સંસ્થા છે, ગૂજરાત વિદ્યાપીઠનો ૭૦મો પદવીદાન સમારોહ ૨૧ જુલાઈ , રવિવારે ગુરુપૂર્ણિમાના રોજ સાંજે ૦૫૦૦ વાગે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થીભવનના પ્રાંગણમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાનાર છે.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પદ્મભૂષણ સુશ્રી રાજશ્રી બિરલા અને અતિથિ વિશેષ તરીકે યુજીસીના સભ્ય અને નેશનલ સ્ટોક એક્સચેન્જના CEO આશિષ ચૌહાણ ઉપસ્થિત રહશે.