Spread the love

અમદાવાદ, 25 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે.
પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે 27 જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ મુકામે ‘પાક્ષિકી’ નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘પાક્ષિકી’ અંતર્ગત ગદ્યનાં વિવિધ સ્વરૂપો વિશે કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યશાળામાં વાર્તા : રિયુનિયન, વાર્તાકાર : કોશા રાવલ અને પઠન થયેલ વાર્તા સંદર્ભે સંવાદ : ઉપસ્થિત સર્જકગણ કરશે. જયંત ડાંગોદરા,‌ સમીર ભટ્ટ, ભિખેશ ભટ્ટ, ભરત મહેતા, સંધ્યા ભટ્ટ, પરીક્ષિત જોશી, સેજલ શાહ. મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ પણ હાજરી આપશે.