Spread the love

અમદાવાદ, 26 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં કવિ, નિબંધકાર, વાર્તાકાર, આત્મકથાકાર અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
મનીષ પાઠકએ આજે જણાવ્યું કે .૨૮ જુલાઈ,રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સ્વ.શ્રીમતી સુશીલાબેન અને સ્વ.શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, નિબંધકાર, વાર્તાકાર, આત્મકથાકાર અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘શબ્દજયોતિ’અંતર્ગત સાહિત્યકાર અનિલ જોશી પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે. આ ક્ષણે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.