Spread the love

અમદાવાદ, 06 ઓગસ્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ નાટ્ય તાલીમ તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી આજે જણાવ્યું કે જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ કાર્યક્રમોનાં ભાગરૂપે એક “નાટ્ય તાલીમ શિબિર”નું આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળનાં કેમ્પસમાં હાલમાં કુલપતિ ડો રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો.કે.એન.ખેર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં જોડાયેલા જુદીજુદી ૩૦ કોલેજના ૪૧ વિદ્યાર્થીઓને નાટ્યના વિવિધ પ્રકારોની તાલીમ આપવામાં આવી હતી જેમાં(૧)અભિનય(૨)નાટકમાં સંગીતનું મહત્ત્વ(૩)અવાજનો આરોહ-અવરોહ(૪)અભિનયનાં નવ રસ(૫):-નાટકનો ઈતિહાસ વગેરે વિષયોનો સમાવેશ થતો હતો.
તજજ્ઞો દ્વારા શીખવવામાં આવેલ આ તમામ વિષયોની અપાયેલ વ્યવહારૂ તાલિમના નિર્દેશનનો કાર્યક્રમ તથા પૂર્ણાહુતિ સમારંભ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ પ્રા.ડો.લલિત પટેલ, વેરાવળનાં અગ્રણી લોકસેવક વિક્રમ તન્ના અને અગ્રણી કેળવણીકાર ગિરીશ કારિયાની ઉપસ્થિતિમાં તથા વેરાવળની કે.એમ.એન્ડ કે.કે.સવજાણી કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં (ક):-રામધારીસિંહ દીનકર લિખિત ‘કર્ણ ઔર અશ્વસેન સંવાદ'(ખ):-કપિલદેવ શુક્લ લિખિત ‘જસમા ઓડણ'(ગ):- કમલ જોષી લિખિત ‘ભાગ ભોલા ભાગ’ અને (ઘ):-‘હેડંબાવન’ કૃતિઓ પ્રસ્તુત કરાઈ હતી.આ આયોજનને સફળ બનાવવામાં સવજાણી કોલેજના પ્રા.મયૂર ગઢિયા અને પ્રા. હિમાંશુ ઝણકારનો સહયોગ પ્રાપ્ત થયો હતો.આ પ્રસંગે શિબિરાર્થીઓને પ્રમાણપત્રો કુલસચિવ પ્રા.ડો.લલિત પટેલ તથા ઉપસ્થિત મહેમાનો અને તજજ્ઞોના હસ્તે અપાયા હતા.
આ શિબિરમાં તજજ્ઞ તરીકે કપિલદેવ શુક્લ (સુરત),કમલ જોષી (લુણાવાડા), ચિંતન પંચાલ(લુણાવાડા)અને દેવાંગ ભટ્ટ (અમદાવાદ)ની સેવાઓ પ્રાપ્ત થઈ હતી.
સમગ્ર શિબિરનું સંચાલન યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સલાહકાર મનોજ મ.શુકલ, ચિલકા જૈન અને રમતગમત અધિકારી ડો.આકાશ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.