Spread the love

સોમનાથ, 15 ઓગસ્ટ, શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગાદર્શન તેમજ ત્રિરંગા શૃંગાર કરવામાં આવેલ.
શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરે જણાવ્યું કે આજે દેશના 78 માં ગણતંત્ર દિવસ પર શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ને કેસરી સફેદ અને લીલા પુષ્પોથી શૃંગાર કરવામાં આવેલ આ સાથેજ શ્રી સોમનાથ મંદિરમાં ગર્ભગૃહમાં માતા ગંગાનું સ્વર્ગમાંથી અવતરણ થયું હોય અને મહાદેવની જટાઓમાંથી ગંગા માતાના અવતરણ દર્શન ભાવિકોને કરાવવામાં આવેલ.
તેમણે કહ્યું કે લોકો સાક્ષાત ગંગોત્રીમાં હોય એટલી પવિત્રતાથી ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આ શ્રૃંગાર ભગવાન શિવ અને દેવી ગંગા વચ્ચેના પૌરાણિક સંબંધને દર્શાવે છે. ભગીરથના તપથી પ્રસન્ન થઈને શિવજી સ્વર્ગમાંથી ગંગા ને પોતાની જટામાં ધારણ કરી પૃથ્વી પર વહાવે છે.