Spread the love

ગાંધીનગર, 15 ઓગસ્ટ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 78 મા સ્વતંત્રતા દિવસ પર આજે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
શ્રી દેવવ્રતએ ધ્વજવંદન પછી રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જેકફ્રુટ- ફણસનું વૃક્ષ વાવ્યું. ધ્વજવંદન સમારોહમાં એસ.આર.પી.એફ. જૂથ-૨, અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ-૧૨, ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો.
રાજભવનના ધ્વજવંદન સમારોહમાં 15 મી ઓગસ્ટના પર્વે અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, રાજ્યપાલના એડીસી લેફ્ટનન્ટ કમાન્ડર મનુ તોમર અને કે. સિદ્ધાર્થ (આઇપીએસ), ગાંધીનગરની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અન્ય શાળાના બાળકો ઉપરાંત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.