Spread the love

અમદાવાદ, 15 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની આજે ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગરવાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી અર્પી હતી.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલઓ, ન્યાયિક અધિકારીઓ, સિનિયર એડવોકેટઓ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યઓ તેમજ ગુજરાત હાઇકોર્ટનો કર્મચારીગણ સર્વે ઉજવણીમાં સામેલ થયા હતા.