Spread the love

અમદાવાદ, 16 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’નું આયોજન શનિવારે કરવામાં આવ્યું.

સંયોજક મનીષ પાઠકે જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર આયોજિત સંસ્કૃત ભાષાના વિદ્વાન, સનદી અધિકારી, શિક્ષણવિદ્ અને પૂર્વ અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક સ્મરણસભા’નું આયોજન શનિવારે સાંજે ૦૫.૩૦ કલાકે મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
એમણે જણાવ્યું કે કાર્યક્રમ શબ્દ શ્રી, સંસ્કૃતભારતી અને ઓમ કોમ્યુનિકેશન નો સહયોગ રહ્યો અને અકાદમી વતી શ્રદ્ધાસુમન: ડૉ. જયેન્દ્રસિંહ જાદવે અર્પણ કર્યા. વક્તાઓ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાએ, ડૉ. જયંતી રવિ (આભાસી માધ્યમથી), વિજય રંચન, રસિક વરસાણી, હસિત મહેતા , વિજય પંડયા, સુ.શ્રી. પ્રીતિ પૂજારા, નીરજ યાજ્ઞિકે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.