Spread the love

અમદાવાદ, 28 ઓગસ્ટ, જૈન દર્શનના ચિંતક કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે 30 ઓગસ્ટના રોજ ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સંયોજક મનીષ પાઠકે આજે જણાવ્યું કે ૩૦ ઓગસ્ટ, શુક્રવારે,સાંજે ૦૫૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
એમણે જણાવ્યું કે ‘શબ્દજયોતિ’ અંતર્ગત ડૉ. કુમારપાળ દેસાઈ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *