Spread the love

Hyderabad, Sep 07,શ્રી શ્રી મુરલીધર શ્રીકૃષ્ણ મંદીર હૈદરાબાદ ખાતે કથ્થક નૃત્ય સાથે ૧૫૧ કુમારીઓએ શ્રીકૃષ્ણ આરાધના કરી.

બ્રહ્માકુમારીઝ મીડિયા ગુજરાતના સંયોજક શશીકાંત ત્રિવેદીએ આજે જણાવ્યું કે શ્રી શ્રી મુરલીધર શ્રીકૃષ્ણ મંદીર હૈદરાબાદ ખાતે ભવ્ય ત્રિદિવસીય શ્રીકૃષ્ણ મહોત્સવ યોજાયો જેમાં શ્રદ્ધાળુઓનું ભારે સંખ્યામાં આગમન આરાધના અને ભાવવીભોર દ્રશ્યો યોજાયા જ્યારે મંદિરમાં વિશાળ સ્ટેજ પર શ્રીકૃષ્ણ ભગવાનની મહામૂર્તિ સમક્ષ ૧૫૧ કુમારીઓ એક  કથ્થક નૃત્ય પ્રસ્તુત કરી ભગવાનની આરાધના કરેલ.

મંદિરના મુખ્ય ચેરમેન શ્રીધર ગોકુલચંદ મંત્રી વેરી રામચંદ્ર યાદવ સાથે સર્વ કુમારીઓને બ્રહ્માકુમારીઝ મીડિયા ગુજરાતના સંયોજક શશીકાંત ત્રિવેદીના હસ્તે હૈદરાબાદ ખાતે મંદિરના વિશાળ સ્ટેજ પર શીલ્ડ એનાયત કરવામાં આવેલ.

જેમાં શ્રી ત્રિવેદીએ ગુજરાતના આરાધ્ય પ્રસિદ્ધ મંદિરોનું વર્ણન કર્યું ઉપસ્થિત ૩૦૦૦ શ્રદ્ધાળુઓને ગુજરાત ધાર્મિક યાત્રા કરવા અનુરોધ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *