Spread the love
Bhavnagar, Sep 08, શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું.
શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે દર મહીને હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી કુલ ૪૫ લાભાર્થીઓને અનાજકીટ આપવામાં આવે છે.
જ્યારે પ્રતિ મહીને મંડળ તરફથી ૬ લાભાર્થીઓને અનાજકીટ અપાતી હોય છે. પરંતુ આ મેગા પ્રોગ્રામમાં મંડળનો આર્થિક બોજ ઓછો કરવા આ વખતે ૨૫ લાભાર્થીઓ માટે કાન્તીભાઈ સુંદરજીભાઈ કારીયા તરફથી જયારે ૩ અનાજકીટનું અનુદાન હરેશભાઈ ભટ્ટ તરફથી પ્રાપ્ત થયું છે. 08 September રવિવારના રોજ શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ કાર્યક્રમમાં દાતા પરિવાર તેમજ હર્ષદભાઈ મહેતા(પ્રમુખ, લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સીટી)અને મંડળના મહેશભાઈ પાઠક, ઇકબાલભાઈ હુનાની, અંકિતાબેન ચૌહાણ, બાબુભાઈ ગોહિલ, મસ્તરામભાઈ દૂધરેજિયાના વરદ હસ્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ લાભુભાઈ સોનાણીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો તેમણે પ્રતિ મહીને અપાતી અનાજકીટની વિગતો આપી રાજયના નેત્રહીનોના કલ્યાણ માટે ચાલતી મંડળની પ્રવૃત્તિઓની ઝાંખી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *