Spread the love

VNINews.com પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

Ahmedabad, Sep 12, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહએ ૮૫મા જન્મદિનપ્રસંગે આજે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.
સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૨ સપ્ટેમ્બર,ગુરુવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સ્વ.શ્રીમતી સુશીલાબેન અને સ્વ.શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે  ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .
‘શબ્દજયોતિ’ અંતર્ગત સાહિત્યકાર પ્રકાશ ન. શાહે  પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *