Spread the love

Ahmedabad, Sep 14, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૧૬ સપ્ટેમ્બરના રોજ Gujarat માં અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતેથી કરોડો રૂપિયાનાં પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
શ્રી પટેલએ આજે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા ઉક્ત કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી, આવશ્યક માર્ગદર્શક સૂચનો પણ કર્યાં હતાં.
આ તકે સ્થાનિક ધારાસભ્યઓ, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર, અમ્યુકો કમિશનર થેન્નારસન, જીયુડીસીના એમડી રાજકુમાર બેનિવાલ, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *