Spread the love

Disa, Sep 16, બ્રહ્માકુમારીઝ દ્વારા Gujarat ના ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર વર્તમાન સમય મહાપરિવર્તનનો સમય ચાલી રહેલ છે ત્યારે અનેક વૈશ્વિક અને વ્યક્તિગત આધી વ્યાધિ ઉપાધિ વચ્ચે જીવવા માટે અને દરેક સમસ્યાનો સામનો અધ્યાત્મજ્ઞાન યોગાથી કરવા તથા વ્યક્તિગત સશક્ત જીવન શૈલી અપનાવવા ડીસા બ્રહ્માકુમારીઝ દ્વારા ભવ્ય અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ યોજાયો.
એમણે જણાવ્યું કે માઉન્ટ આબુ થી આવેલ સુપ્રસિદ્ધ વકતા રાજયોગી શક્તિરાજભાઈએ ૩ કલાક સુધી જીવનમાં આવતી સમસ્યાનો સામનો પોતાની શક્તિથી જ્ઞાનથી કરવા જણાવેલ કે પોતાને આત્મીય સ્વરૂપમાં અનુભવી શાંતિ પ્રેમ આનંદ શુભ પવિત્રતા અને જ્ઞાન જેવા માનવીય મૂલ્યોનો અનુભવ રાજયોગ દ્વારા થઈ શકે છે તેને વિશાળ બ્રહ્માકુમાર ભાઈ બહેનોના સંગઠનને પ્રાયોગિક રૂપે અનેક માનસિક પ્રયોગો દ્વારા સર્વને માસ્ટર સર્વ શક્તિવાન આત્મનનો અનુભવ કરાવેલ તથા આવનારા મહાપરિવર્તન સમયે પ્રત્યેક માનવ આત્માઓને શાંતિ સહયોગ સદભાવ શુભ ભાવનાની શક્તિથી સશક્ત બનતા પહેલા પોતાના આધ્યાત્મિક સશક્તિકરણ માટે ઈશ્વરીયજ્ઞાન અને રાજયોગ તપસ્યાને જીવનનું અંગ બનાવવા ગહન વિધિથી રાજ યોગા કરેલ જેના અદભુત અનુભવો સર્વ એ વર્ણવેલ.
ડીસા રાજમંદિર ખાતે યોજાયેલ સમારંભમાં બ્રહ્માકુમારી સુરેખાબેને સર્વને સમયને ઓળખી આધ્યાત્મિક બનવા અનુરોધ કરેલ જેમાં માઉન્ટ આબુ થી આવેલ આનંદભાઈ તથા ધ્રુવભાઈએ યોગા પ્રયોગ કરેલ કાર્યક્રમનું સંચાલન શશીકાંત ત્રિવેદી તથા ગોવિંદભાઈએ કરેલ આ મહોત્સવમાં ભીલડી ધાનેરા રાહ વગેરે સેવા કેન્દ્રોના બ્રહ્માકુમારી બહેનોએ પોતાની અધ્યાત્મ શક્તિઓનું યોગદાન આપી સર્વને ગહન અનુભૂતિ કરાવેલ અંતે રાજમંદિર સિનેમા ના માલિક પિયુષભાઈ નો ટોકીઝમાં અધ્યાત્મ શિક્ષા દ્વારા માનવ કલ્યાણના કાર્યને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *