Spread the love

Ahmedabad, Sep 19, Gujarat ના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૨ સપ્ટેમ્બર, રવિવારે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
એમણે જણાવ્યું કે ‘પુસ્તક-પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક પદ્મનાભ કૃત પુસ્તક ‘કાન્હડદે પ્રબંધ’ વિશે પ્રો. પિનાકિની પંડયા અને સાહિત્યસર્જક પ્રેમાનંદ કૃત પુસ્તક ‘રણયજ્ઞ’ વિશે મધ્યયુગના અભ્યાસી કીર્તિદા શાહ પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *