Spread the love

આજરોજ ધો-૧૦નાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામ મુજબ સમગ્ર ગુજરાતમાં માત્ર ૧૩૮૯ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. દર વર્ષની જેમ ભાવનગર જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે પણ ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો સમાવેશ થાય છે. રાજ્યની દિવ્યાંગ શાળાઓ પૈકીની આ શાળામાંથી કુલ ૧૭ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી પ્રથમ ક્રમે ૭૭.૮૦% ટકા સાથે રવિ બી. ભરવાડ આવેલ છે. જ્યારે કુલ ૬ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે ઉતીર્ણ થયા છે. આ વર્ષે રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં પરીક્ષા આપનાર ૫૩૧ માંથી ૩૫૨ વિદ્યાર્થીઓ વિકલાંગતાના લાભ વગર સામાન્ય કેટેગરીમાં ઉતીર્ણ થયા છે. જેમાં આ શાળાના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે શાળા પરિવાર તરફથી ઉતીર્ણ થનાર સૌને અભિનંદન…