Spread the love

ભાવનગર, 18 મે,  શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે ૨૫ અને ૨૬ મે ના રોજ મળશે.

શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવ્યું કે ગુજરાત રાજ્યના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ અને ઉત્થાન અર્થે વર્ષ ૧૯૫૮થી કાર્યરત અને રાજ્યનું સૌથી વધુ સભ્યપદ ધરાવનાર શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે તા.૨૫ અને ૨૬ મે ૨૦૨૪ના રોજ નવજવાન સિંધી સેવા મંડળ હોલ, ભાંગલીગેટ પાસે, સિંધુનગર, ભાવનગર ખાતે મળી રહ્યું છે.

જેમાં લોક ડાયરો, પ્રજ્ઞાચક્ષુ લોકોના પ્રશ્નોનો અંગે ચર્ચા વિચારણા, શૈક્ષણિક એવોર્ડ, અનાજકીટ વિતરણ, પ્રજ્ઞાચક્ષુ પરિવારોને નવનિર્મિત મકાન અર્પણ અને સભાસદોને શુભેચ્છા ભેટનું વિતરણ કરવામાં આવશે. તો આ પ્રસંગે મંડળના સભ્યોને હાજરી આપવા ભાવભીનું નિમંત્રણ છે.