Spread the love

અમદાવાદ, 24 ઑગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં વીર કવિ નર્મદની 191મી જન્મજયંતી પર આજે તેમની પ્રતિમા પર માલ્યાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું.
ગુજરાતમાં સમાજ સુધારણા ચળવળના અગ્રણી વીર કવિ નર્મદની 191મી જન્મજયંતી નિમિત્તે કલ્ચરલ એજ્યુકેશનલ ફોરમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે તેમની પ્રતિમા પાસે માલ્યાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ધોધમાર વરસતા વરસાદમાં પણ સહુએ નર્મદની પ્રતિમાને ફૂલો અર્પણ કર્યા હતા. તથા નર્મદનું ગીત – “ડગલાં ભરવા માંડો રે…”નું ગાન તથા “વીર કવિ નર્મદ અમર રહો’ના નારા બોલાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *