Ahmedabad, Gujarat, Mar 17, ગુજરાત ના અમદાવાદમાં WORLD POETRY DAYની ઉજવણી નિમિત્તે ‘કવિસંમેલન’નું આયોજન 21 માર્ચ ના રોજ કરવામાં આવશે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૧ માર્ચ,શુક્રવારે,સાંજે ૦૬-૦૦ કલાકે , રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા વિશ્વ કવિતા દિવસ WORLD POETRY DAYની ઉજવણી નિમિત્તે ‘કવિસંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે.
‘કવિસંમેલન’ અંતર્ગત કવિ માધવ રામાનુજ, દલપત પઢિયાર , હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને તુષાર શુક્લ સ્વરચિત કવિતાઓનો પાઠ કરશે. સંચાલન કવિ હરદ્વાર ગોસ્વામી કરશે. આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
