Spread the love

Gujarat, Ambaji, Sep 15, અંબાજી ભાદરવી પૂનમના મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી.કે. રેણુકાબેન આમંત્રિત કરવામાં આવ્યા હતાં.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર યુવા ક્ષત્રિય સેના દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્થાપિત પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર શુક્રવાર ના રોજ છાપી સેવાકેન્દ્રના સંચાલિકા બી.કે. રેણુકાબેનને આમંત્રિત કરવામાં આવ્યાં. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા, યુવા ક્ષત્રિય સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, મહંત શંકરપુરી બાપુ, મહંત પ્રવિણરામ મહારાજ વિગેરેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી.
શુભારંભ બાદ રેણુકાબેને મહેમાનો સાથે જ્ઞાન-ચર્ચા કરી તેમને ઈશ્વરીય ભેટ સૌગાત અર્પણ કરી સેવાકેન્દ્ર પર પધારવાનું ઈશ્વરીય નિમંત્રણ પાઠવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *