Spread the love

ભૂપેન્દ્ર પટેલે પર્યુષણ પર્વની પાઠવી શુભકામનાઓ
Ahmedabad, Sep 04, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યુષણ પર્વની શુભકામનાઓ પાઠવી છે.
શ્રી પટેલે અમદાવાદમાં નવરંગપુરા સ્થિત દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે ઉપસ્થિત રહીને જૈન સંપ્રદાયને પર્યુષણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ દેરાસરમાં કરાયેલા ભગવાનના આંગી શણગારને નિહાળ્યો, તેમજ અત્યંત ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યાં હતાં.
ત્યારબાદ તેઓએ મહારાજ સાહેબનાં આશીર્વાદ લઈને ઉપસ્થિત સૌને પર્યુષણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના સુંદર આંગી શણગારને બિરદાવ્યો હતો. આ પ્રસંગે જૈન શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *