Ahmedabad, Gujarat, Jun 09, શ્રમણી ગણનાયક આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પ્રથમવાર શ્રી ગિરધરનગર જૈન સંઘ મા શાસ્ત્રીય સામાયિકનુ આયોજન થયું છે.સેકડો લોકો જોડાયા એમનર ગિરનાર પ્રવેશપત્ર અપાયા.
પૂજ્યપાદ 451 દીક્ષાદાનેશ્વરી શ્રી જીરાવલાદી તીર્થોધારક, પ્રતિષ્ઠાચાર્યશ્રી ગુણરત્ન સુરીશ્વરજી મા.સા ના શિષ્યરત્ન આજીવન ચરણો પાસક શ્રમણી ગણનાયક આચાર્ય શ્રી રશ્મિરત્ન સુરીશ્વરજી મા.સા. તથા આચાર્યશ્રી સંયમરત્ન સુરીશ્વરજી મારા સાહેબ આદી સાધુ સાધ્વી ભગવંતો ની નિશ્રા મા સમસ્ત અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પ્રથમવાર શ્રી ગીરનાગર જૈન શ્વે.મૂ. સંઘના આંગણે આજે ૯ જૂન સોમવારે શાસ્ત્રીય સામાયિકનુ નું આયોજન થયું .જેમાં 600થી વધુ ભાઈ-બહેનોએ જોટો સામાયિક ના જોડાયા. મુનિ શ્રી ભવ્યરતના વિજય જેમને સંયમ દસાબ્દી અને સાધ્વી શ્રી મનીષરેખા શ્રીજી ના 40 માં સંયમ વરસ પ્રવેશ નિમિત્તે રાખેલ.
શાસ્ત્રીય સામાયિકની સમજ આપતા જૈનાચાર્ય શ્રીએ જણાવ્યું કે જે ‘પંચાસકજી ગ્રંથ અને બાર વ્રત પૂજા ઢાળમાં કહેવાય છે કે રાજા હોય, મંત્રી હોય કે વ્યાપારી હોય એ હાથી-રથ-ઘોડા શણગારી ગુરુ પાસે સામાયિક લેવા જવું જોઈએ. સામાયિકન એટલે બે ઘડી સાધુ જેવુ નિષ્પાપ જીવન. પ્રવચન દરમ્યાન ગુરુદેવ એ સંતસુરક્ષા માટે પાંચ મુદ્રાથી નવકાર ભાષ્ય જાપ કરાવ્યો નવકાર યોગ કરાવ્યો. સામાયિકની શાસ્ત્રીય બાબતોનું ધ્યાન દોરતા ઉપકરણ સુધી,મન-વચન-કાયાના યોગોની શુદ્ધિ વિશે સમજ આપી સત્તર સંડાસા પૂર્વક ખમાસમણા નું પ્રેક્ટીકલ જ્ઞાન આપ્યું. હવે પછીનુ શાસ્ત્રીય સામાયિકન 18 જૂન શ્રી કુંથુનાથ, પ્રીતમ નગરમાં થશે.
દિલ્હીના ઉદ્યોગપતિ શ્રી ભવરલાલ દોસી માંથી દસ વરસ પૂર્વે મુનિ શ્રી ભવ્યરત્ન વિજયજી બન્યા. તે નિમિતક સંઘના અધ્યક્ષ ખીમરાજજી એ સોનો આભાર માન્યો.શાહી નવકરશી-પ્રભાવમાં કરવામાં આવેલ. તારીખ ૩૦ ડિસેમ્બરે પાલીતાણા થી ગિરનારનું 16 દિવસો છ:રી પાલિત સંઘ સુખધામ પરિવાર દ્વારા પૂજ્ય આચાર્ય ભગવંત ની નિશ્રા મા કઢસે તેના ઓનલાઈન ફોર્મ જાહેર કરાયા. તારીખ 28 જૂને વાસણા રેવા જૈન સંઘ મા પ્રવેશ થશે.
