Vadnagar, Gujarat, Jun 02, ગુજરાત પત્રકાર સંઘના વરિષ્ઠ પત્રકારોનો લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન એવા ગુજરાતમાં મહેસાણા જિલ્લા ની હેરીટેઝ નગરી વડનગરનો માહિતી પ્રવાસ હાલમાં આયોજિત કરવામાં આવ્યો.
ગુજરાત રાજ્યની હેરીટેઝ નગરી વડનગર નો માહિતી પ્રવાસ ગુજરાત ટુરીઝમ ના ઉપક્રમે ગુજરાત પત્રકાર સંઘ તથા મુખૌટે ફાઉન્ડેશનની સહભાગીદારીતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પત્રકાર સંઘના સિલેક્ટેડ વરિષ્ઠ પત્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગુજરાત પત્રકાર સંઘના કાર્યાલય ખાતેથી સવારે પત્રકારો સવારે વડનગર ખાતે પહોંચ્યા હતા. સૌપ્રથમ વડનગરના કીર્તિતોરણ ખાતે પત્રકારોનું ગીત સંગીતના કાર્યક્રમ દ્વારા હાર્દિક સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટુરીઝમના આયોજકો તેમજ ગાઈડ દ્વારા હેરીટેઝ નગરી વડનગર ની માહિતી આપવામાં આવી હતી. કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, વડનગર હેરીટેઝ મ્યુઝિયમ, પૌરાણિક બૌદ્ધ મંદિરના અવશેષો, જૈન મંદિર, વડનગરના પૌરાણિક દરવાજાઓ, તાનારીરી સ્મુર્તિ મંદિર, પૌરાણિક સોલંકી વંશના શાસન પૂર્વ તથા પછીથી વડનગરમાં થયેલા ઐતિહાસિક ફેરફારનું વિસ્તૃત વર્ણન પ્રવાસ આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું.
બપોરે ભોજન બાદ ભવ્ય વડનગર મ્યુઝિયમની ત્રણ કલાકની મુલાકાત બાદ સાંજે પ્રવાસે પૂર્ણાહૂતિ કરીને પત્રકારો અમદાવાદ પરત ફર્યા હતા.
ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર. પ્રજાપતિ, ઉપપ્રમુખ જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, ડો. નિખિલભાઈ શાહ, જયેશભાઈ વ્યાસ, મહામંત્રી નટુભાઈ ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી વિનય પંડ્યા, આર. માનિક, ટ્રેઝરર નિલેશ વોરા, તેમજ કારોબારી સભ્યો રમણલાલ પ્રજાપતિ, અનિલ વર્મા, પરેશ મહેતા, કાર્યાલય મંત્રી જગદીશ પી. મેવા, નરેશભાઈ શાહ સહિત અન્ય કારોબારી સભ્યો અને સિલેકટેડ પીઢ પત્રકારો ચેતન ચૌહાન સાથે ગુજરાત સાહિત્ય પરિષદ તેમજ ગુજરાત સમાચારના અગ્રણી પત્રકાર-સાહિત્યકાર-લેખક પરિક્ષિતભાઈ જોશીએ ઉત્સાહભેર આ માહિતી પ્રવાસમાં ભાગ લીધો હતો. સમયાનુસાર ગુજરાત પત્રકાર સંઘના તમામ પત્રકારો જેઓ આવા પ્રવાસમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમને ગુજરાતના હેરીટેઝ સ્થળોના માહિતી પ્રવાસમાં સામેલ કરવામાં આવશે. એના માટે અગાઉથી ગુજરાત પત્રકાર સંઘ કાર્યાલય દ્વારા આપને જાણ કરવામાં આવશે.