Bhavnagar, Gujarat, Jun 11, ગુજરાતમાં ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં વિશ્વ વિખ્યાત કથાકાર મોરારીબાપુના પત્ની નર્મદાબા ને આજે સમાધિ અપાઇ.
પરિવારના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે 75 વર્ષના નર્મદાબા નું મંગળવાર મધ્ય રાત્રિ તલગાજરડા ખાતે નિધન થયું હતું. તેઓ એમની પાછળ ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે ભરપૂર પરિવાર છોડી ગયા છે.
સવારે 9 કલાકે નર્મદાબાની સમાધિ વિધિ શરૂ કરાઇ હતી અને આ પ્રસંગે તલગાજરડાના લોકો આવી પહોંચ્યા હતા. નર્મદાબાને શાસ્ત્રોકત વિધિ અનુસાર સમાધિ આપવામાં આવી હતી. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
