Spread the love

ગાંધીનગર, 19 ઓગસ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને રાજયોગીની કૈલાશ દીદીએ રક્ષાબંધન પર આજે રાખડી બાંધી સુરક્ષા કવચ પૂરું પાડ્યું.
બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહએ જણાવ્યું કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આયોજિત રક્ષાબંધન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી પટેલ ને બ્રહ્માકુમારીઝ સેક્ટર.૨૮ ગાંધીનગર પ્રભારી રાજયોગીની કૈલાશ દીદીજી એ આજે આત્મસ્મૃતિનું તિલક કરી પરમપિતા પરમાત્મા શિવ બાબાની ઈશ્વરીય સ્નેહ અને શક્તિ સભર રાખડી બાંધી સુરક્ષા કવચ પૂરું પાડેલ તથા પ્રભુ વરદાન અને પ્રસાદથી મુખ મીઠું કરાવેલ.
તેમની સાથે ચિલોડા સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.તારાબેન, ઉર્જાનગર સેવાકેન્દ્ર પ્રભારી રંજનબેન, બી.કે.જુગનુંબેન, બી.કે.કૃપલબેન, બી.કે.મીરાબેન તથા બી.કે.આરતી બેન પણ સહયોગી રહેલ.