Spread the love

ગાંધીનગર, 18 ઓગસ્ટ, રક્ષાબંધન મહોત્સવ તળે બ્રહ્માકુમારીઝ સેક્ટર.૨૮ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું.

બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહના જણાવ્યાસનુસાર મુખ્યાલય કમાંડન્ટ દ્વારા આ પવિત્ર સ્નેહમિલનમાં પધારેલ બ્રહ્માકુમારી ડેલીગેશનના કૈલાશ દીદીજી સહિત સૌનું મીઠા આવકાર સાથે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું. જ્યારે દીદીજી એ પરમાત્માનો દિવ્ય સંદેશ આપી સૌ અધિકારી ભાઈ બહેનો અને કોસ્ટ ગાર્ડ જવાનોને પરમપિતા પરમાત્મા શિવબાબાની ઈશ્વરીય શક્તિ સભર રાખડી બાંધી પ્રભુ પ્રસાદથી સૌનું મુખ મીઠું કરાવ્યું.
આ પ્રસંગે રાજયોગા ટીચર બી.કે.કૃપલબેને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવામાં આવેલ. જ્યારે બી.કે જુગ્નુબેન દ્વારા ખરાબ આદતો છોડવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.