Spread the love

VNINews.com વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
Ahmedabad, Sep 16, વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું. જેમાં લક્ષ્મીકાન્ત ભટ્ટ વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
‘ટીપે ટીપે’ અંતર્ગત જાણીતા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહી પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું. વ્યકતિવિશેષ લક્ષ્મીકાન્ત ભટ્ટ વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે, લક્ષ્મીકાન્ત ભટ્ટના જીવન વિશે લક્ષ્મીકાન્ત ભટ્ટના જમાઈ સ્નેહલ ભટ્ટે અને લક્ષ્મીકાન્ત ભટ્ટની વાર્તાસૃષ્ટિ વિશે પ્રો.મહેન્દ્રસિંહ પરમારે વક્તવ્ય આપ્યું અને લક્ષ્મીકાન્ત ભટ્ટની પુત્રી ક્રિષ્નાબેને લક્ષ્મીકાન્ત ભટ્ટની વાર્તા ‘શું એ હું જ હતો ?’નું વાચિક્મ કર્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે લક્ષ્મીકાન્ત ભટ્ટના પરિવારજનો,સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *