Spread the love

અમદાવાદ, 07 જુલાઈ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ આજે ૧૪૭મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા.
અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતિક સમાન રથયાત્રાના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સાથે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજાવિધિમાં સામેલ થયા હતા.
ભગવાન જગન્નાથ પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે, ઉલ્લેખનીય છે કે દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે.