Spread the love

અમદાવાદ, 27 મે, એએમએ દ્રારા આર. ગોપાલક્રિષ્નન અને હૃષિ ભટ્ટાચાર્ય દ્રારા લિખિત “એમ્બ્રેસ ધ ફ્યુચરઃ ધ સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન” પુસ્તકનું વિમોચન કરાયું
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા આજે જણાવવામાં આવ્યું કે એઆઈએમએ(AIMA)ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી આર. ગોપાલક્રિષ્નન અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રી હૃષિ ભટ્ટાચાર્ય દ્રારા લિખિત “એમ્બ્રેસ ધ ફ્યુચરઃ ધ સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન” પુસ્તકનું વિમોચન કરાયું અને આ ઉપક્રમે બિઝનેસ લીડર્સ, એક્ઝિક્યુટિવ અને વિદ્યાર્થીઓ સાથે એક વાર્તાલાપ યોજાયો.  
“એમ્બ્રેસ ધ ફ્યુચર” એ બિઝનેસ લીડર્સનું મુખ્ય પુસ્તક છે કે જે આજના ફ્લુઇડ બિઝનેસ વાતાવરણમાં પરિવર્તનનો સામનો કરનાર કોઈપણને અપીલ કરે છે. તે સતત ટેક્નોલોજીકલ પરિવર્તન અને વ્યવસાયમાં પરિવર્તનનાં સમયમાં ટકી રહેવા અને વિકાસ માટેની માર્ગદર્શિકા છે.
લેખકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “જે કંપનીઓ અનુકૂલન સાધવામાં નિષ્ફળ જાય છે તે નાશ પામવાનું નક્કી કરે છે. વ્યક્તિએ ભૂતકાળમાંથી શીખવાની, વર્તમાનને સંચાલિત કરવાની અને ભવિષ્ય માટે તૈયાર રહેવાની જરૂર છે. આપણે જે ભવિષ્યની ઈચ્છા કરીએ છીએ તેની આપણે કલ્પના કરવી જોઈએ અને પછી તેને વર્તમાનમાં ઢાળવું જોઈએ.”
લેખકોએ ‘સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન’ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે “વ્યાપારની જેમ જીવનમાં, પરિવર્તનની અસર કરવા માટે, વ્યક્તિને આકર્ષક વર્ણનની જરૂર હોય છે, જે સંસ્થાને પ્રેરણા આપે છે.” પરિવર્તનને સતત પ્રયાસ તરીકે જોવું અને તેને માત્ર કટોકટીમાં હાથ ધરવામાં આવેલી કવાયત માનવા કરતાં રોજબરોજના કાર્યના કલ્ચર એટલે કે સંસ્કૃતિનો એક ભાગ બનાવવો પણ મહત્વપૂર્ણ છે.”